સોમવારે હેગમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ડચ સમકક્ષ કેસ્પર વેલ્ડકેમ્પ સાથે વાતચીત કરી. તેમણે પહેલગામ હુમલાની કડક નિંદા કરવા અને આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના સમર્થન બદલ નેધરલેન્ડ્સનો આભાર માન્યો અને પ્રશંસા કરી.
વિદેશ મંત્રી દ્વારા X પર આપવામાં આવેલી માહિતી
જયશંકરે બેઠક પછી ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયન સાથે દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગને વધુ ગાઢ બનાવવા પર અમારી વ્યાપક ચર્ચા થઈ છે. વિદેશ મંત્રી નેધરલેન્ડ, ડેનમાર્ક અને જર્મનીની છ દિવસની મુલાકાતના પહેલા તબક્કામાં સોમવારે હેગ પહોંચ્યા.
Thank FM Caspar Veldkamp @ministerBZ of the Netherlands for hosting me today in The Hague.
Appreciate Netherlands’ strong condemnation of the Pahalgam attack. And support for zero tolerance against terrorism.
Had wide-ranging discussions on deepening our bilateral partnership… pic.twitter.com/oYgk7ygRvG
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 19, 2025
આ મુલાકાત ભારતની ચાલી રહેલી રાજદ્વારી પહેલનો એક ભાગ છે
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકરની મુલાકાત વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવા અને મુખ્ય યુરોપિયન ભાગીદારો સાથે સહયોગ વધારવાના હેતુથી ચાલી રહેલી ભારતની રાજદ્વારી પહેલનો એક ભાગ છે.
આ મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી ત્રણેય દેશોના નેતૃત્વને મળશે અને દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર તેમના સમકક્ષો સાથે ચર્ચા કરશે.