પુણેની એક વિશેષ અદાલતે વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર સાવરકર વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. કોર્ટે રાહુલને સમન્સ જારી કરીને 23 ઓક્ટોબરે હાજર થવા જણાવ્યું છે.
ગયા વર્ષે સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે આ સંબંધમાં લોકસભામાં વિપક્ષના નેતા વિરુદ્ધ પુણેની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. ગયા મહિને, કેસને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (FMFC) કોર્ટમાંથી સાંસદો અને ધારાસભ્યો માટેની વિશેષ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
રાહુલે માર્ચ 2023માં લંડનમાં આ દાવો કર્યો હતો
પોતાની ફરિયાદમાં સત્યકી સાવરકરે આરોપ લગાવ્યો છે કે રાહુલે માર્ચ 2023માં લંડનમાં આપેલા તેમના ભાષણમાં દાવો કર્યો હતો કે વીર સાવરકરે એક પુસ્તકમાં લખ્યું હતું કે તે અને તેના પાંચ-છ મિત્રોએ એક વખત એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો ) ખુશ હતો.
સાત્યકીએ કહ્યું કે આવી કોઈ ઘટના ક્યારેય બની નથી. વીર સાવરકરે આવું ક્યાંય લખ્યું નથી.