હિમાચલ પ્રદેશમાં આફ્રિકન સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા બાદ, પશુપાલન વિભાગે રાજ્યમાં ડુક્કરની ખરીદી અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. બુધવારે એક અધિકારીએ આ માહિતી આપી. બિલાસપુરના ઝંડુતા સબડિવિઝનના કોલકા પંચાયતમાં તાજેતરમાં આફ્રિકન સ્વાઈન ફ્લૂના ચેપનો કેસ નોંધાયા બાદ આ આદેશો જારી કરવામાં આવ્યા હતા.

આ ચેપને કારણે, ડુક્કર ઉછેર કેન્દ્રમાં 40 માંથી 36 ભૂંડ મૃત્યુ પામ્યા, જ્યારે નિયમો અનુસાર વિભાગ દ્વારા ચાર ભૂંડોને મારી નાખવામાં આવ્યા. પશુપાલન વિભાગે ડુક્કર ઉછેર કેન્દ્ર ખાલી કરાવ્યું છે અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સેનિટાઇઝેશન પ્રક્રિયા 3 થી 6 મહિના સુધી ચાલુ રહેશે.
વિભાગે ડુક્કર ઉછેર અંગે કડક પગલાં લીધાં છે. અધિકારીએ જણાવ્યું કે, દસલેહરા પશુ દવાખાના હેઠળ આવતા આ ફાર્મમાં કુલ 40 ડુક્કર ઉછેરવામાં આવ્યા હતા.

