કૃષિ યોજનાઓને સામાન્ય ખેડૂતો માટે સરળતાથી સુલભ બનાવવા માટે, આધાર જેવા ઓળખ કાર્ડ જારી કરવામાં આવશે. આ માટે સરકાર દેશભરના ખેડૂતોની નોંધણી કરશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની આ યોજના રૂ. 2,817 કરોડના ડિજિટલ કૃષિ મિશનનો એક ભાગ છે.
પાંચ કરોડ ખેડૂતોની નોંધણી
આ માહિતી કૃષિ સચિવ દેવેશ ચતુર્વેદીએ સોમવારે આઉટલુક-એગ્રીટેક સમિટ અને સ્વરાજ એવોર્ડ્સ દરમિયાન આપી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)ના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ યોજના હેઠળ આવતા વર્ષે માર્ચ સુધીમાં પાંચ કરોડ ખેડૂતોની નોંધણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ખેડૂતોનું ખાસ ઓળખપત્ર
આ ખાસ ઓળખ કાર્ડ મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી યોજનાઓ માટે અરજી કરતી વખતે ચકાસણીની જટિલતાને ઘટાડવામાં પણ મદદ કરશે. 19 રાજ્યો આ યોજનામાં જોડાવા માટે સંમત થયા છે. આ માટે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં પાયલોટ પ્રોજેક્ટ ચાલી ચુક્યો છે.
ચેટબોક્સ જેવી ટેકનોલોજીનો વિકાસ થયો
આ નવી નોંધણીથી ખેડૂતો માટે વિવિધ કૃષિ યોજનાઓ સુધી પહોંચવામાં સરળતા રહેશે. તે સરકારી યોજનાઓને અત્યંત અસરકારક રીતે લાગુ કરવામાં પણ મદદ કરશે. ખેડૂતો માટે AI આધારિત ચેટબોક્સ જેવી ટેકનોલોજી પણ વિકસાવવામાં આવી રહી છે.