અમદાવાદ. તેરાપંથ યુવક પરિષદની વાર્ષિક સામાન્ય સભા શાહીબાગ સ્થિત તેરાપંથ ભવનમાં પ્રમુખ પંકજ ઘીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મુનિ ધર્મરુચિ અને મુનિ ડૉ. મદનકુમારે આશીર્વાદ આપ્યા હતા. મંત્રી જય છજેડે કાર્યવાહીનું સંચાલન કર્યું હતું. ચૂંટણી અધિકારી પ્રકાશ ભરસરિયા અને સહ-ચૂંટણી અધિકારી મનોજ સિંઘીએ તેરાપંથ યુવક પરિષદ અમદાવાદના 2025-26 પ્રમુખ માટે પ્રદીપ બાગરેચાના નામની જાહેરાત કરી હતી.
ટીમની જાહેરાત
વિદાય લેતા પ્રમુખ ઘીયાએ નામાંકિત પ્રમુખ પ્રદીપ બાગરેચાને પ્રમુખનો બેજ લગાવ્યો હતો. નામાંકિત પ્રમુખે 2025-26 માટે તેમની ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં ઉપપ્રમુખ સંદીપ મંડોટ, કુલદીપ નવલખા, મંત્રી સાગર સાલેચા, સહ-મંત્રી દીપક સંચેતી, વિજય છજેડ, ખજાનચી વિશાલ ભરસરિયા, સંગઠન મંત્રી જય છજેડ જાહેર થયા હતા.